
મોટાભાગના લોકોની ફરિયાદ છે કે આખો દિવસ કામ કર્યા પછી પણ તેમની રાત પડખા ફેરવવામાં જ નિકળે છે. એટલે કે થાકથી ઘેરાઈ ગયા પછી પણ તેઓ આખી રાત સૂઈ શકતા નથી. તેમજ આમાંના ઘણા લોકો એવા પણ છે, જેઓ રાત્રે સૂતી વખતે અચાનક જાગી જવાની સમસ્યાથી પરેશાન છે. એકવાર તેઓ રાત્રે જાગી ગયા પછી, તેઓ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં ઊંઘી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓ દિવસભર સુસ્તી અને નબળાઈ અનુભવે છે. જો કે, આ પ્રકારની સમસ્યા થવી સામાન્ય છે અને અલગ-અલગ લોકોને અલગ-અલગ કારણોસર તેનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જો તમે સવારે 1 થી 4 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો, તો તેના માટે તમારું લિવર જવાબદાર છે. અમે આવું નથી કહેતા પરંતુ એક અભ્યાસ આવું કહે છે.
આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...
આ પણ વાંચો : Health Tips: તમારા ભોજનમાં આ વસ્તુ સામેલ કરશો તો ઉંમર કરતા દેખાશો 10 વર્ષ નાના...
આ પણ વાંચો : વિટામિન B12થી ભરપૂર છે આ શાકભાજી અને ફળો, શરીર બનશે ફિટ અને મજબૂત...
જર્નલ ઓફ નેચર એન્ડ સાયન્સ ઓફ સ્લીપના એક રિપોર્ટ અનુસાર રાત્રે અચાનક જાગવું એ લીવર ડેમેજ થવાની નિશાની છે. ખાસ કરીને જો તમે ગાઢ નિંદ્રામાં હોવ અને કોઈ કારણ વગર અચાનક તમારી આંખ સવારે 1 થી 4 વાગ્યાની વચ્ચે ખુલી જાય, તો આ લીવર સંબંધિત સમસ્યાઓનું સૌથી સામાન્ય કારણ છે.
રિપોર્ટ અનુસાર, આપણા શરીરના અંગોને યોગ્ય રીતે કામ કરવા માટે સર્કાડિયન ક્લોક અથવા બોડી ક્લોક ખાસ ભૂમિકા ભજવે છે. આ ઘડિયાળ દિવસ અને રાત પ્રમાણે કામ કરે છે. તે જ સમયે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આપણું લીવર રાત્રે 1 થી 3 વાગ્યાની વચ્ચે શરીરને ઝડપથી ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે. જો કે, જો તમારા લીવરમાં ચરબી જમા હોય અથવા તમે નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝથી પીડાતા હો, તો લિવરને શરીરને ડિટોક્સિફાય કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જેના માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, આપણી નર્વસ સિસ્ટમ ઊંઘમાંથી જાગવાના સંકેતો આપે છે અને આ રીતે, તમે ગમે તેટલી ઊંડી ઊંઘમાં હોવ, રાત્રે 1 થી 3 વાગ્યાની વચ્ચે, તમારી આંખો આપોઆપ ખુલી જાય છે.
આ પણ વાંચો : આંખ આવવાનો રોગ કેમ અચાનક ફેલાયો ? ડોકટરે જણાવ્યા કારણો અને ઇલાજ...
આ પણ વાંચો : “ભારતમાં રોડ અકસ્માતમાં કોરોના કરતા પણ વધુ લોકોના થાય છે મોત”, નીતિન ગડકરીએ જાહેર કર્યા આંકડા...
આ પણ વાંચો : Brahma Muhurta: બ્રહ્મમુહૂર્ત ઉઠીને જૂઓ, તમારી જિંદગીમાં ચમત્કાર આપોઆપ થવા લાગશે...
આવી સ્થિતિમાં, જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો એકવાર તમારા લિવરની તપાસ કરાવો. NCBI અનુસાર, જો લાંબા સમય સુધી ફેટી લિવરની સમસ્યાનું ધ્યાન ન રાખવામાં આવે તો તે લિવર સિરોસિસનું કારણ પણ બની શકે છે. સરળ ભાષામાં સમજીએ તો સમય જતાં આ સમસ્યા લીવરને સંપૂર્ણ રીતે સડાવીને તમને ખૂબ જ બીમાર કરી શકે છે.
Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી આધારે છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Health News